શિવ તાંડવ સ્તોત્ર ની રચના કોને કરી હતી?શિવ તાંડવ નું ક્યારે ગાન કરવું જોઈએ

By: nationgujarat
06 Sep, 2023

ભગવાન શિવ ને પ્રસન્ન કરવા માટે તેમના એક મહાન ભક્ત “રાવણ” દ્વારા શિવ તાંડવ ની રચના કરવામાં આવી હતી. શિવ તાંડવ ની રચના પાછળ એક કહાની છે જે આ પ્રમાણે છે, “એક વાર રાવણ ને પોતાની શક્તિ અને ભક્તિ પર ઘમંડ ચડી આવ્યું. આથી તેને સંપૂર્ણ હિમાલય ને ઊચકી લંકા લઈ જવા માટે જોર લગાવવાનું શરૂ કર્યું. આ જોઈ શંકર ભગવાન એ માત્ર પોતાના અંગૂઠા ના બળ વડે હિમાલય ને દબાવતા રાવણ ના હાથ હિમાલય ના દબાણ માં આવી ગયા. આ તીવ્ર પીડા થી દૂર થવા અને ભગવાન શંકર ને પ્રસન્ન કરવા માટે રાવણ દ્વારા શિવ તાંડવસ્તોત્ર દ્વારા સ્તુતિ કરવામાં આવી હતી.”

શિવ તાંડવ નું ક્યારે ગાન કરવું જોઈએ અને તેનું શું ફળ પ્રાપ્ત થાય છે?

આ રાવણ દ્વારા રચવામાં આવેલ ખુબજ પ્રભાવશાળી અને શક્તિશાળી સ્તોત્ર માનવામાં આવે છે. આ સ્તોત્ર નું પઠન કે આ સ્તોત્ર વડે પૂજા કરવા માટે પણ એક નિશ્ચિત સમય હોય છે. જો આપે ધ્યાન થી આ સ્તોત્ર ને વાંચ્યો હોય તો તેના અંતિમ શ્લોક માં “પ્રદોષ” શબ્દ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રદોષ એક એક સમય છે જે પ્રદોષકાળ તરીકે પણ ઓળખવામાં આવે છે.

દર મહિના માં બે પ્રદોષ આવે છે. જે તેરસ ની તિથી પર આવે છે, આ તિથી ના દિવસે સૂર્યાસ્ત પછી ની 24 મિનિટ ના આસપાસ ના સામે ને પ્રદોષકાળ માનવામાં આવે છે. આ સામે દરમિયાન ભગવાન શિવ ખુબજ પ્રસન્ન હોય છે. શિવ તાંડવ નું આ સમયે ગયાં કરવાથી તેમની કૃપા પ્રાપ્ત થાય છે. શિવ તાંડવ નું ગાન કરવાથી હાથી, ઘોડા અને રથ યુક્ત લક્ષ્મી(રથગજેંદ્ર તુરંગયુક્તાં) ની પ્રાપ્તિ થાય છે.

નોંધ – આ લેખ અંગે નેશન ગુજરાત  પુષ્ટી કરતુ નથી આ લેખ માત્ર જાણકારી માટે જ છે.

શિવ તાંડવ સ્તોત્રમ્ |

॥ 1 ॥

જટાટવીગલજ્જલપ્રવાહપાવિતસ્થલે
ગલેવલંબ્ય લંબિતાં ભુજંગતુંગમાલિકામ્ ।
ડમડ્ડમડ્ડમડ્ડમન્નિનાદવડ્ડમર્વયં
ચકાર ચંડતાંડવં તનોતુ નઃ શિવઃ શિવમ્

॥ 2 ॥

જટાકટાહસંભ્રમભ્રમન્નિલિંપનિર્ઝરી-
-વિલોલવીચિવલ્લરીવિરાજમાનમૂર્ધનિ ।
ધગદ્ધગદ્ધગજ્જ્વલલ્લલાટપટ્ટપાવકે
કિશોરચંદ્રશેખરે રતિઃ પ્રતિક્ષણં મમ

॥ 3 ॥

ધરાધરેંદ્રનંદિનીવિલાસબંધુબંધુર
સ્ફુરદ્દિગંતસંતતિપ્રમોદમાનમાનસે ।
કૃપાકટાક્ષધોરણીનિરુદ્ધદુર્ધરાપદિ
ક્વચિદ્દિગંબરે મનો વિનોદમેતુ વસ્તુનિ

॥ 4 ॥
જટાભુજંગપિંગળસ્ફુરત્ફણામણિપ્રભા
કદંબકુંકુમદ્રવપ્રલિપ્તદિગ્વધૂમુખે ।
મદાંધસિંધુરસ્ફુરત્ત્વગુત્તરીયમેદુરે
મનો વિનોદમદ્ભુતં બિભર્તુ ભૂતભર્તરિ

॥ 5 ॥

સહસ્રલોચનપ્રભૃત્યશેષલેખશેખર
પ્રસૂનધૂળિધોરણી વિધૂસરાંઘ્રિપીઠભૂઃ ।
ભુજંગરાજમાલયા નિબદ્ધજાટજૂટક
શ્રિયૈ ચિરાય જાયતાં ચકોરબંધુશેખરઃ

॥ 6 ॥
લલાટચત્વરજ્વલદ્ધનંજયસ્ફુલિંગભા-
-નિપીતપંચસાયકં નમન્નિલિંપનાયકમ્ ।
સુધામયૂખલેખયા વિરાજમાનશેખરં
મહાકપાલિસંપદેશિરોજટાલમસ્તુ નઃ

॥ 7 ॥

કરાલફાલપટ્ટિકાધગદ્ધગદ્ધગજ્જ્વલ-
દ્ધનંજયાધરીકૃતપ્રચંડપંચસાયકે ।
ધરાધરેંદ્રનંદિનીકુચાગ્રચિત્રપત્રક-
-પ્રકલ્પનૈકશિલ્પિનિ ત્રિલોચને મતિર્મમ

॥ 8 ॥

નવીનમેઘમંડલી નિરુદ્ધદુર્ધરસ્ફુરત્-
કુહૂનિશીથિનીતમઃ પ્રબંધબંધુકંધરઃ ।
નિલિંપનિર્ઝરીધરસ્તનોતુ કૃત્તિસિંધુરઃ
કળાનિધાનબંધુરઃ શ્રિયં જગદ્ધુરંધરઃ

॥ 9 ॥

પ્રફુલ્લનીલપંકજપ્રપંચકાલિમપ્રભા-
-વિલંબિકંઠકંદલીરુચિપ્રબદ્ધકંધરમ્ ।
સ્મરચ્છિદં પુરચ્છિદં ભવચ્છિદં મખચ્છિદં
ગજચ્છિદાંધકચ્છિદં તમંતકચ્છિદં ભજે

॥ 10 ॥

અગર્વસર્વમંગળાકળાકદંબમંજરી
રસપ્રવાહમાધુરી વિજૃંભણામધુવ્રતમ્ ।
સ્મરાંતકં પુરાંતકં ભવાંતકં મખાંતકં
ગજાંતકાંધકાંતકં તમંતકાંતકં ભજે

॥ 11 ॥

જયત્વદભ્રવિભ્રમભ્રમદ્ભુજંગમશ્વસ-
-દ્વિનિર્ગમત્ક્રમસ્ફુરત્કરાલફાલહવ્યવાટ્ ।
ધિમિદ્ધિમિદ્ધિમિધ્વનન્મૃદંગતુંગમંગળ
ધ્વનિક્રમપ્રવર્તિત પ્રચંડતાંડવઃ શિવઃ

॥ 12 ॥

દૃષદ્વિચિત્રતલ્પયોર્ભુજંગમૌક્તિકસ્રજોર્-
-ગરિષ્ઠરત્નલોષ્ઠયોઃ સુહૃદ્વિપક્ષપક્ષયોઃ ।
તૃષ્ણારવિંદચક્ષુષોઃ પ્રજામહીમહેંદ્રયોઃ
સમં પ્રવર્તયન્મનઃ કદા સદાશિવં ભજે

॥ 13 ॥

કદા નિલિંપનિર્ઝરીનિકુંજકોટરે વસન્
વિમુક્તદુર્મતિઃ સદા શિરઃસ્થમંજલિં વહન્ ।
વિમુક્તલોલલોચનો લલાટફાલલગ્નકઃ
શિવેતિ મંત્રમુચ્ચરન્ સદા સુખી ભવામ્યહમ્

॥ 14 ॥
ઇમં હિ નિત્યમેવમુક્તમુત્તમોત્તમં સ્તવં
પઠન્સ્મરન્બ્રુવન્નરો વિશુદ્ધિમેતિસંતતમ્ ।
હરે ગુરૌ સુભક્તિમાશુ યાતિ નાન્યથા ગતિં
વિમોહનં હિ દેહિનાં સુશંકરસ્ય ચિંતનમ્

॥ 15 ॥

પૂજાવસાનસમયે દશવક્ત્રગીતં યઃ
શંભુપૂજનપરં પઠતિ પ્રદોષે ।
તસ્ય સ્થિરાં રથગજેંદ્રતુરંગયુક્તાં
લક્ષ્મીં સદૈવ સુમુખિં પ્રદદાતિ શંભુઃ


Related Posts

Load more